શ્રાવણમાં આ દિશામાં બેસીને કરો ભોલેનાથની પૂજા, જાણો વાસ્તુના કેટલાક નિયમો

about

આ વર્ષે અધિકમાસ અને શ્રાવણ મહિનો એક સાથે હોવાથી 2 મહિના સુધી શ્રાવણ માસની ગણતરી કરવામાં આવી છે. આ રીતે શ્રાવણ મહિનાની ગણતરી કરીએ તો તો 4 જુલાઈથી શરૂ થયો હતો. આજે એટલે કે 17 ઓગસ્ટે અધિક મહિનો પૂરો થયો છે અને સાથે જ શ્રાવણ માસની શરૂઆત થઈ છે. આ સમયે જો તમે પણ ભોલેનાથને પ્રસન્ન કરવાનું વિચારી રહ્યા છો તો તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખી લેવું જોઈએ. જો તમે વાસ્તુ સાથેની કેટલીક વાતોને સમજી લેશો તો તમારા પર ભોલેનાથની કૃપા બની રહેશે. તો જાણો પૂજામાં કઈ વાતોનું રાખશો ધ્યાન.

આ દિશામાં ભગવાન શિવની પ્રતિમા મૂકો

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવની મૂર્તિ એ જ દિશામાં રાખવી જોઈએ જ્યાં ભગવાન શિવનો વાસ હોય છે. ભગવાન શિવનો વાસ કૈલાશ છે અને કૈલાસ ઉત્તર દિશામાં છે. એટલા માટે આ દિશામાં ભગવાન શિવની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો.

સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો

સાવન મહિનામાં ભગવાન શિવ અને દેવી-દેવતાઓની પૂજા દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સાથે ઘરના મંદિરમાં સ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિઓની સમય-સમય પર સફાઈ કરતા રહો. આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

આખા પરિવારની તસવીર મૂકો

ભગવાન શિવની તસવીર લગાવતી વખતે આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારે તેમના સમગ્ર પરિવારની તસવીર લગાવવી જોઈએ. તેનો અર્થ એ છે કે ચિત્રમાં માતા પાર્વતી, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેય હાજર હોવા જોઈએ. આમ કરવાથી ભગવાન શિવની પૂજાનું વિશેષ ફળ મળે છે.

આવી ઇમેજ રાખશો નહીં

શ્રાવણ મહિનામાં ભગવાન શિવની મૂર્તિની સ્થાપના કરતી વખતે ધ્યાન રાખો કે તમે તેમની તસવીર ક્રોધની મુદ્રામાં ન લગાવો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી શકે છે. તેમજ પરિવારના લોકોને પણ ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે પવિત્ર સ્થાન પર હસતી મુદ્રાની અને આખા પરિવાર સાથે તેની તસવીર લગાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *