ભગવાન સૂર્યનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. તેમને અસાધારણ ક્ષમતાઓ અને દૈવી શક્તિઓ સાથેના સૌથી મહત્વપૂર્ણ દેવતાઓમાંના એક માનવામાં આવે છે. આ ઉપરાંત, તે પૃથ્વી પર પ્રકાશનો મુખ્ય સ્રોત છે અને જીવનના લમર્થક છે. તે જ સમયે, જ્યોતિષ શાસ્ત્ર(Astrology)માં સૂર્યને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર(Astrology) અનુસાર, સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. તે માન સન્માન, પિતા-પુત્ર અને માનવ જીવનમાં સફળતાનું પરિબળ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય દર મહિને એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ રીતે, બાર રાશિમાં, સૂર્ય એક વર્ષમાં તેનું ચક્ર પૂર્ણ કરે છે. સૂર્યને આરોગ્યાના દેવ માનવામાં આવે છે. પૃથ્વી પરનું જીવન ફક્ત સૂર્યના પ્રકાશથી જ શક્ય છે. દરરોજ સૂર્યને જલ અર્પણ કરવાથી જાતકને આધ્યાત્મિક લાભ મળે છે. આ સાથે સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે. સૂર્ય ભગવાનની કૃપા મેળવવા અને કુંડળીમાં સૂર્યની અનુકુળતા રાખવા માટે દરરોજ સૂર્યને જલ અર્પણ કરવુ જોઈએ. આનાથી તમને સમાજમાં આદર મળે છે.
કેમ સૂર્ય ભગવાનને જળ ચઢાવવામાં આવે છે
એવું કહેવામાં આવે છે કે સવારે સૂર્ય ભગવાનને જળ ચઢાવવાથી શરીર સ્વસ્થ રહે છે. રોગોથી મુક્તિ મળે છે અને દિવસ આનંદથી પસાર થાય છે.
માન્યતા છે કે ભગવાન સૂર્યની પૂજા કરતા પહેલા સ્નાન કરવું જોઈએ. સ્નાન કરવાથી શરીરને રાત્રે થતી અશુદ્ધિઓ અને નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે. સવારે નહાવાથી શરીરના સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે અને બીમારી થવાની સંભાવના પણ ઓછી થાય છે.
સૂર્યદેવની પૂજા કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી ફરજિયાત છે. ભગવાન ગણેશની આરાધના કરતી વખતે આપણે કપાળ પર કુમકુમ અને મોલી લગાવીએ છીએ.
એવું કહેવામાં આવે છે કે સૂર્ય ભગવાનને તાંબાનાં વાસણમાં પાણી ચઢાવવું જોઈએ. આવી સ્થિતિમાં, પ્રકાશ પાણીમાથી પસાર થાય છે અને સૂર્યની સાત કિરણોમાં વહેંચાય છે (જેને સૂર્ય ભગવાનના સાત ઘોડા પણ કહેવામાં આવે છે). આ કરવાથી, શરીરની બધી નકારાત્મકતા સકારાત્મકતામાં ફેરવાઈ જાય છે.
ભગવાન ગણેશની પૂજા કર્યા પછી સૂર્ય ભગવાનને જળ ચઢાવવામાં આવે છે. સવારે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાથી ધ્યાન શક્તિમાં વધારો થાય છે. જ્યારે આપણે પાણી અર્પણ કરતી વખતે સૂર્યદેવતાને જોઈએ છીએ, ત્યારે આપણી દ્રષ્ટિ સૂર્ય પર કેન્દ્રિત છે. આ ઉપરાંત, તે તમારી આંખોને દિવસના પ્રકાશને સ્વાભાવિકરૂપથી સમાયોજીત કરવામાં મદદ કરે છે.
સવારના આધ્યાત્મિક મન ખુબ સક્રિય હોય છે જે ઉંડા ધ્યાનમાં મદદ કરે છે. ધ્યાન આપણી ક્રિયાઓ અને લક્ષ્યોને યોગ્ય રાખવામાં અને વધુ સ્પષ્ટતા અને સકારાત્મકતા સાથે તેનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.