સાવધાન કોઇની આ વસ્તુઓનો ના કરશો ઉપયોગ, ગરીબ થઇ જશો

DHARMIK

તમે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે કેટલીક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય બીજાની વાપરેલી વસ્તુઓથી ન કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં પણ આવું કરવાની મનાઈ છે. વાસ્તુ અનુસાર, અન્ય લોકોની ઉપયોગમાં લીધેલી કે વાપરેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઊર્જા આપણામાં આવે છે. આ નાની-નાની બાબતો તમારા મોટા નુકસાનનું કારણ બની શકે છે. આવો અમે તમને જણાવીએ કે બીજાની કઈ વસ્તુઓનો આપણે ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ.

રૂમાલ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, અન્ય વ્યક્તિનો ઉપયોગમાં લીધેલ રૂમાલ રાખવાથી સંબંધોમાં તિરાડ આવી શકે છે. તેને લોકો વચ્ચેના ઝઘડા સાથે જોડીને જોવામાં આવે છે. આપણે ક્યારેય બીજા વ્યક્તિનો રૂમાલ આપણી સાથે ન રાખવો જોઈએ.

ઘડિયાળ

વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળને સકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે જોડીને પણ જોવામાં આવે છે. કાંડા પર અન્ય વ્યક્તિની ઘડિયાળ પહેરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિનો ખરાબ સમય શરૂ થઈ શકે છે.

વીંટી

અન્ય વ્યક્તિની વીંટી પહેરવી એ પણ વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી મનુષ્યના સ્વાસ્થ્ય, જીવન અને આર્થિક મોરચે ખરાબ અસર પડે છે.

પેન

વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ક્યારેય પણ બીજા વ્યક્તિની પેન પોતાની પાસે ન રાખવી જોઈએ. આ ન માત્ર કરિયરની દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે, પરંતુ તમે પૈસા પણ ગુમાવી શકો છો.

કપડાં

વાસ્તુ અનુસાર, આપણે ક્યારેય પણ અન્ય વ્યક્તિના કપડાં ન પહેરવા જોઈએ. આના કારણે આપણી અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *