નમસ્તે મિત્રો આજના અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં દરેક કોઈ ઈચ્છે છે કે તે ધનવાન બને અને આ માટે દરેક વ્યક્તિ મહેનત પણ કરે ક હ્હે. પણ અનેકવાર મહેનત કર્યા પછી પણ કેટલાક લોકોને સફળતા નથી મળતી જેના તેઓ હકદાર હોય છે. અને કેટલાક લોકોને ઓછી મહેનત છતા ફળ મળી જાય છે. એવુ કહેવાય છે કે તેનુ કારણ ધન સાથે જોડાયેલ સંસ્કારોનુ જ્ઞાન ન હોવાનુ કારણ છે. ઘણા લોકો ધન સાથે જોડાયેલા ઉપાય કરતા રહે છે પણ છતા પણ તેમને કોઈ લાભ થતો નથી. આજે અમે તમારી માટે લાવ્યા ઘરમાં બરકત લાવવા માટે અમે તમારી માટે લાવ્યા આ ઉપાય લાવ્યા છીએ જેનો ઉપયોગ કરીને તમારા ઘરમાં બરકત આવશે. તો ચાલો જાણીએ તે ઉપાય વિશે.
ભારતીય ઘરોમાં કેટલીક પરંપરાઓ છે જેનું પાલન આપણા વડીલો કરતા આવી રહ્યા છે. પણ ધીમે-ધીમે આધુનિકતાના ચક્કરમાં નવી પેઢી આ પરંપરાઓથી દૂર થતી જાય છે. તેથી જ તો આજકાલ ઘરોમાં પ્રેમ લાગણી અને ધન રહ્યુ નથી. પહેલા એક કમાવતો હતો આખું પરિવારનું ભરણ પોષણ થતુ હતુ. પણ આજકાલ લગભગ બધા કમાવે છે તોય પણ ઘરમાં કોઈ ન કોઈ વસ્તુનો અભાવ રહે છે. જે ઘરમાં મહિલાઓ રાત્રે સૂતા પહેલા આ કામ કરે છે ત્યાં સવારે લક્ષ્મી ચોક્ક આવે છે.ઘરમાં વૈભવ , સંપન્નતા અને ખુશહાલી માટે રાત્રે સૂતા પહેલા વાસણ ધોઈને રસોડાને સાફ કરીને સૂવુ જોઈએ. મુખ્યદ્વાર પાસે કચરાનો ડબ્બો રાખવાથી પાડોશીઓ સાથે સંબંધો ખરાબ થાય છે અને લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી.
સૂર્યાસ્ત સમયે જો કોઈ બહારનો માણસ તમારી પાસે દૂધ કે દહીં માગે તો ન આપવું જોઈએ આનાથી લક્ષ્મી ઘરમાંથી બહાર નીકળી જાય છે. સાવરણીને દક્ષિણ પશ્ચિમ દિશામાં સંતાડીને મુકો. સૂતા પહેલા વાળ ન ખોલવા.આ ઉપરાંત જો તમે ઘન લાભ મેળવવા માગો છો તો આ કામ ન કરોજ્યા તમે કામ કરો છો ત્યા તમારા ટેબલ પર કશુ ખાશો નહી. જો ખાવુ મજબૂરી છે તો ટેબલ પર કપડુ પાથરીને કે પેપર પાથરીને જ ખાવ અને ત્યારબાદ ટેબલેન સાફ કરો. આવુ કરવાથી તમારી આસપાસ નકારાત્મક ઉર્જા રહેતી નથી. જ્યા તમે તમારા પૈસા મુકો છો જેવા કે પર્સ કે તિજોરી એ સ્થાન પર કોઈ પણ પ્રકારના પેપર કે ડાયરી ન મુકશો. આવી વસ્તુઓ પોતાના પસિઆથી અલગ જ રાખો. પૈસા સાથે અણીદાર વસ્તુઓ અને રદ્દી પણ ન મુકશો. આવુ હોય તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
જે લોકોનો પોતાનો બિઝનેસ હોય છે તેમને પૈસાને મામલે થોડી સતર્કતા રાખવી જોઈએ. ક્યાકથી મળેલ પેમેંટ કે જે પસિઆ કોઈને આપવાના છે તો તેને ખુલ્લા ન છોડવા જોઈએ. સાથે જ આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે સૂતી વખતે પૈસા તકિયા ઓશિકા નીચે ન મુકો. સૂતી વખતે જો તમને પૈસા ગણવાની ટેવ છે તો છોડી દો. કારણ કે એવુ કહેવાય છે કે આ ટેવને કારણે ધનનુ નુકશાન થઈ શકે છે. જે તિજોરી એક રેકમાં પૈસા મુકો છો ત્યા ખાવાની વસ્તુઓ ન મુકવી જોઈએ. આ ટેવ વ્યક્તિ માટે નુકશાનદાયક હોય છે. આ ટેવને કારણે ઘરમાંથી બરકત જતી રહે છે.અનેક લોકો પૈસા મુકવાના ખિસ્સામાં જ પાન મસાલા કે બીડી મુકી દે છે. જ્યારે કે આ ખૂબ જ ખરાબ ટેવ છે. પાન મસાલાને અધ્યામ્તિક દ્રષ્ટિથી અપવિત્ર વસ્તુ માનવામાં આવે છે. આવુ કરવાથી આર્થિક ઉન્નતિમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. પૈસાને ક્યારેય થૂંક લગાવીને ન ગણવા જોઈએ. આવુ કરવાથી આરોગ્યના હિસાબથી તો ખતરનાક છે જ આ સાથે જ ઘરમાં બરકત પણ રહેતી નથી.
કેટલાંક લોકોની આદત હોય છે કે તે પોતાનો બધો ક્રોધ ભોજન પર ઉતારતા હોય છે, અથવા તો ક્રોધમાં આવીને ભોજનની થાળીને ફેંકી દેતા હોય છે અથવા ભોજન કર્યા વગર ઉભા થઈને જતા રહે છે. આવું કરવું લક્ષ્મી દેવીનું અપના થાય છે એટલા માટે મનુષ્યએ ભોજન કરતી વખતે ક્રોધ ન કરવો જોઈએ.પીપળાના છાયડામાં ઉભા રહીને એક લોખંડના વાસણમાં પાણી, ખાંડ, ઘી મિક્સ કરીને પીપળાને ચઢાવવું. આવું કરવાથી બહુ લાંબા સમય સુધી ઘરમાં ક્યારે પૈસાની કમી ઉભી નહીં થાય અને લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે.જો કોઈ એવું કામ જેને પૂરુ કરતા પહેલાં કોઈના કોઈ અડચણ આવતી હોય તો તમે શુક્રવારના દિવસે કીડીઓને ખાંડ નાખો. આ કામ નિયમિત કરવાથી ક્યારે ઘરમાં ધનની કમી નહી રહે અને અટકેલા કામ પણ થઈ જશે. તેમજ ધન સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલાં અને અથવા કામ કરવા માટે ઘરની બહાર જતા પહેલા દહીં અને ખાંડ અવશ્ય ખાવું.
આ ઉપરાંત જો તમે ઘરમાં રાખો આ 10 વસ્તુ, ક્યારેય નહી રહે ધનની અછત વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને પાણીની દિશા માનમાં આવી છે. આ દિશામાં પાણીથી ભરેલુ માટલુ રાખવું જોઇએ. જો તમારી પાસે ફ્રિઝ તેમજ વોટર ફિલ્ટર પણ છે ત્યારે વાસ્તુની અનૂકુળતા માટે ડિઝાઇનર માટલુ શણગારીને રાખવું જોઇએ અને પાણી દરરોજ બદલતુ રહેવું જોઇએ. તમારા ઘરમાં મની પ્લાંટનો એક છોડ ઉગાડો. વાસ્તુ વિજ્ઞાન અનુસાર મની પ્લાંટનો છોડ લગાવા માટે દક્ષિણ દિશાને શુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશાના ભગવાન ગણેશજી છે અને પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે. ભગવાન ગણેશ અમંગળનો નાશ કરે છે અને શુક્ર સુખ- સમૃદ્વિનો કારક ગ્રહ હોય છે. બેલ અને લતાનો કારક ગ્રહ શુક્ર હોય છે એટલા માટે દક્ષિણ દિશામાં મની પ્લાંટ વાવવું ધન માટે શુભ રહશે.
ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવા માટે વાસ્તુ પુરૂષની પૂજા થાય છે. ઘરમાં વાસ્તુ પુરૂષની તસવીર તેમજ મૂર્તિ લગાવી રાખો અને દરરોજ કપૂરના સહાયથી તેમની પૂજા કરો. વાસ્તુ પરૂષ વાસ્તુ દોષના અશુભ પ્રભાવથી રક્ષા કરે છે. તમારા ઘરમાં 9 પિરામીડ રાખો તેનાથી તમામ દિશાનો વાસ્તુ દોષ દૂર થશે. જો એવું ન થઇ શકે તો માત્ર ને માત્ર એ ભાગમાં એક પિરામીડ રાખો જ્યાં ઘરના લોકો એક સાથે વાતચીત કરે છે. આ દરેક લોકોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં સહાયક થશે તે ઘરની વૃદ્ધિ અને સંપત્તિમાં વધારો કરવા માટે મદદરૂપ થશે.
ઘરના મુખ્ય દ્વાર પર સ્વાસ્તિકનું નિશાન બનાવો તેમજ સ્વાસ્તિક લગાવો. ઘરની તરફ જોતા ગણેશજી પણ શુભ-લાભ આપે છે. લક્ષ્મી માતાની સાથે કુબેરની મૂર્તિ અને કુબેર યંત્ર રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાન વાસ્તુ સંબંધિત દોષને દૂર કરે છે એટલા માટે ઘરમાં એક પંચમુખી હનુમાનજીની પ્રતિમા પુજા સ્થાન પર મુકવી જોઇએ. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના સાથે શંખ રાખો. પૂજા ઘરમાં લાલ વસ્ત્રમાં વીટોળીને એક નારિયળ રાખો. ઘણી વખત કેટલાંક લોકો સાથે એવું બને છે કે તેમની આવક સારી હોય છે પણ તેની પાસે પૈસા રહેતા હોતા નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો મોતીશંખ તેનું શ્રેષ્ઠ નિદાન માનવામાં આવે છે.