મારી GF જોડ સમાગમ બાદ મને માથામાં ખુબજ દુખાવો થાય છે,આવું શેના લીધે થતું હશે ??

GUJARAT

પ્રશ્ન : હું કોલેજના બીજા વર્ષમાં ભણતી યુવતી છું. મારી સોસાયટીમાં રહેતો એક યુવક મારો સારો મિત્ર છે. મારી બહેનપણી તો કહે છે કે એ મને પ્રેમ કરે છે પણ મને એવું નથી લાગતું. શું છોકરો અને છોકરી મિત્ર ન હોઇ શકે? જો એ મને પ્રેમ કરતો હોય તો અને મને એ કહે નહીં તો મને આ વાતની કઇ રીતે ખબર પડે? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : શું એક છોકરા અને એક છોકરી વચ્ચે ક્યારેય દોસ્તી શક્ય નથી? આ સવાલ વર્ષોથી ચર્ચાતો રહ્યો છે. જીવનમાં મિત્ર બહુ જરૂરી છે પણ જ્યારે એક છોકરી અને છોકરો મિત્ર હોય ત્યારે છોકરીને એવો ડર સતાવતો હોય છે કે ક્યાંક છોકરો તેના પ્રેમમાં ના પડી જાય. ઘણીવાર કોઇ વિજાતીય મિત્ર છોકરી માટે ખૂબ જ લાગણી દર્શાવતો હોય અને તેના જીવનની દરેક પળનો ભાગ બનવા માગતો હોય.

જ્યારે તે છોકરીની વધુ પડતી સંભાળ લેવા માગે ત્યારે એવું જણાઈ આવે છે કે આ છોકરો તે છોકરી માટે ખાસ લાગણી અનુભવી રહ્યો છે. ઘણીવાત આ વાતનો અહેસાસ છોકરીને આસપાસની વ્યક્તિને થાય છે પણ છોકરીને નથી થતો. જ્યારે છોકરીનો વિજાયતીય બેસ્ટ ફ્રેન્ડ તેને ફોન અથવા મેસેજ પર એવું પૂછવા લાગે કે શું તે જમી લીધું? તું અત્યારે શું કરે છે?…ત્યારે સમજી લેવું કે તે વધુ નજીક આવવા માગે છે. આનો મતલબ એ થાય છે કે એ છોકરાના મનમાં છોકરીના વિચારો છવાયેલા છે. એનો મતલબ એવો થાય છે કે છોકરો તેની ફ્રેન્ડ કે જે છોકરી છે તેના માટે સતત વિચારી રહ્યો છે.

પ્રશ્ન : હું 28 વર્ષનો યુવક છું. મારા હજી લગ્ન નથી થયા પણ હું મારી ગર્લફ્રેન્ડ સાથે શારીરિક રીતે સક્રિય છું. મારી સમસ્યા એ છે કે મને લાગે છે કે શારીરિક સંબંધ બાંધ્યા પછી મને માથાનો દુખાવો થાય છે. આવું થવા માટે શું કારણ જવાબદાર હશે? એક યુવક (નવસારી)

ઉત્તર : તમારી સમસ્યા થોડી અલગ છે, પણ આવું ક્યારેક થઇ શકે છે. જાતીય સંબંધ બાંધ્યા પછી ઘણા લોકો માથું દુખવાની ફરિયાદ કરે છે. એને પોસ્ટ-કોએટલ હેડેક કહે છે. એમાં વ્યક્તિ ચરમસીમાએ પહોંચે એ પછી તરત જ માથું ભારે લાગવા લાગે અને દુખાવો થાય છે. જો એવું હોય તો તમે ડોક્ટરની સલાહ પ્રમાણે પેઇનકિલર લઇ શકો છો.

આ પરિસ્થિતિ માટે ક્યારેક માનસિક સ્થિતિ પણ જવાબદાર હોઇ શકે છે. ધાર્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી જો તમારા મનમાં તમે જે કરી રહ્યા છો એ ખોટું અથવા તો ગંદું છે એવું માનતા હશો તો એની માનસિક આડઅસર પણ માથાના દુખાવામાં કારણભૂત બની શકે છે. વ્યક્તિ જાતીય સંતોષ મેળવ્યા પછી તેણે કંઈક ખોટું કર્યું છે એવી લાગણી અનુભવતી હોય ત્યારે પણ આવું થઈ શકે છે.

જો આવી કોઈ માન્યતાઓ ધરાવતા હો તો એ દૂર કરવી જરૂરી છે. જો એવું ન હોય તો કોઈ સારા ન્યુરોલોજિસ્ટને બતાવીને જરૂર પડે તો મગજનું સ્કેનિંગ કરાવી લેવું હિતાવહ છે. એના આધારે તમારું યોગ્ય નિદાન અને સારવાર કરવાની દિશા મળશે. જો કોઇ શારીરિક સમસ્યા હશે તો સમયસર નિદાન થવાથી સારવાર માટે સમય પણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *