સવાલ: હું ૨૬ વર્ષની પરિણીત સ્ત્રી છું. એક ખાનગી સંસ્થામાં કામ કરું છું. મારી સાથે કામ કરતા એક કર્મચારી સાથે મારે વધુ પડતી આત્મીયતા બંધાઈ ગઈ. તેની સાથે હું મારા સુખદુ:ખને શેર કરવા લાગી. એક દિવસ મારા પતિ સાથે મારે ઝઘડો થયો. છૂટાછેડા આપવા સુધીની વાત આવી. પછી અમારી વચ્ચે સમાધાન થઈ ગયું.
મેં આ વાત મારા સહકર્મચારીને કહી. બે-ચાર દિવસ પછી દારૂ ઢીંચી તે અમારે ઘરે આવ્યો અને મારા પતિ સાથે ઘણું ખરાબ વર્તન કરી ભાંડવા લાગ્યો. વાત મારામારી સુધી પહોંચી. સોસાયટીના લોકોએ પણ સાંભળ્યું. સૌની સામે મારી આબરૂના ધજાગરા ઊડયા. બીજા દિવસે વારંવાર ફોન કરી પતિ પાસેથી માફી માંગવા લાગ્યો. હવે ઘરના લોકો ઈચ્છતા નથી કે હું ફરી એજ ઓફિસમાં કામ કરું. તો મારે શું કરવું જોઈએ? – એક યુવતી-(ભાવનગર)
જવાબ : ઓફિસમાં સાથે કામ કરતા કર્મચારી અને તેમાં પણ પુરુષ સહકર્મચારી સાથે ઘરની વાતો કરવી જોઈએ નહીં, નહીં તો આ પ્રકારની વાત બને છે. હવે એ ઓફિસમાં જઈને તમે રાજીનામું આપી દો અને ભવિષ્યમાં બીજી જગ્યાએ કામ કરો ત્યારે તમારા વ્યવહારને સંયમિત રાખવાનું નક્કી કરી લો.
સવાલ: મારાં લગ્નને હજુ બે મહિના જ થયા છે. અમે બંને એકલાં જ રહીએ છીએ અને મોજમસ્તીથી જીવનનો આનંદ માણીએ છીએ. મારા પતિ રોજ (ક્યારેક દિવસમાં બે થી ત્રણવાર પણ) શારીરીક સંબંધ બાંધે છે. ખૂબ મજા આવે છે, પરંતુ મારી એક પરિણીત સાહેલીએ મને ડરાવી છે.
તે કહે છે કે તેના પતિ તો અઠવાડિયામાં માત્ર એક જ વાર સંબંધ બાંધે છે. વધુ સંબંધ બાંધવાથી જાતીય રોગ તથા ઘણીવાર એઈડ્સ પણ થાય છે. એ પછી હું ડર અનુભવું છું. પતિને કહ્યું તો તે કહે છે કે તારી સાહેલી કશું જાણતી નથી. બકવાસ કરે છે. શું કરું? તમે માર્ગ બતાવો કે આ યોગ્ય છે? સાથે એ પણ કહો કે કેટલા દિવસ પછી શરીર સંબંધ બાંધવો જોઈએ?
– એક યુવતી-(વાંસદા)
જવાબ: તમે સાંભળેલી કે સંભળાયેલી વાત પર ધ્યાન ન આપો. લોકોને સેક્સ વિશેનું જ્ઞાાન અધકચરું હોય છે. આવું જ્ઞાાન તેઓ બધાંને વહેંચે છે. શરીર સંબંધ બાંધવાથી કશો રોગ થતો નથી. એઈડ્સની વાત છે તો બીજા સાથે કે વધુ વ્યક્તિઓ સાથે અસલામત સંબંધ બાંધવાથી થાય છે. એટલે તમે જીવનનો આનંદ લૂટો. જ્યાં સુધી સંબંધ જે કેટલીવાર કરવાની વાત છે તો તેનો કોઈ નિયમ નથી.