યોગી આદિત્યનાથના ખભા પર હાથ રાખીને વાત કરતા પીએમ મોદીનો ફોટો ખૂબ જ વાયરલ થયો હતો. આ ફોટા પર વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. પરંતુ દરેકના મનમાં એક જ સવાલ હતો કે આખરે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી યોગીના ખભા પર હાથ મૂકીને શું વાત કરી, આ તસવીરમાં શું રહસ્ય છુપાયેલું છે.
हम निकल पड़े हैं प्रण करके
अपना तन-मन अर्पण करके
जिद है एक सूर्य उगाना है
अम्बर से ऊँचा जाना है
एक भारत नया बनाना है pic.twitter.com/0uH4JDdPJE— Yogi Adityanath (@myogiadityanath) November 21, 2021
આજે આ રહસ્ય રક્ષા મંત્રી રાજનાથ સિંહે સીતાપુરમાં લોકો સમક્ષ જાહેર કર્યું હતું. રક્ષા મંત્રીએ કહ્યું કે જે તસવીરને લઈને વિરોધીઓ ચર્ચા કરી રહ્યા છે તેના વિશે હું તમને જણાવીશ કે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી યોગીને શું કહી રહ્યા છે.
दुनिया की ख़ातिर, सियासत में कभी यूं भी करना पड़ता है
बेमन से कंधे पर रख हाथ, कुछ क़दम संग चलना पड़ता है— Akhilesh Yadav (@yadavakhilesh) November 21, 2021
સીતાપુરમાં ભારતીય જનતા પાર્ટીના અવધ પ્રાંતના બૂથ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે મોદીજી યોગીને ધડાધડ બેટિંગ કરતા રહેવાનું કહી રહ્યા છે. તેમના સંબોધનમાં, સંરક્ષણ પ્રધાને સૌ પ્રથમ રાજ્યની કાયદો-વ્યવસ્થા અને વિકાસની સ્થિતિ પર મુખ્ય પ્રધાન યોગીની પ્રશંસા કરી અને કહ્યું કે યોગીજી એક શાર્પ બેટ્સમેનની જેમ બેટિંગ કરી રહ્યા છે.
અખિલેશ યાદવે અને કોંગ્રેસે સવાલો કર્યા હતા
પીએમ મોદી અને સીએમ યોગીની તસવીર સામે આવતા જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ યોગી આદિત્યનાથ પર પ્રહારો કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કટાક્ષભર્યા સ્વરમાં કહ્યું હતું કે ‘બેમન સે કંધો પર રખા હાથ, કુછ કદમ સંગ ચલના પડતા હૈ’