નમસ્કાર મિત્રો આજના આ લેખ માં તમારુ સ્વાગત છે.આજે અમે તમને જણાવીશું ભાવનગર ના રાજા કૃષ્ણ કુમારજી ના પુત્ર પ્રિન્સ જયવીરરાજ સિંહ ગોહિલ વિશે આ એજ કૃષ્ણ કુમારજી છે જેમને રજવાડા એકત્રિત કરવા માટે મોટું યોગદાન આપ્યું હતું અને એમને જ અખંડ ભારત નું સર્જન કરવા સૌથી પહેલા પોતાનું રજવાડું સરદાર વલ્લભભાઈ પટેલ ને સોંપી દીધું હતું.પણ આજે આપણે વાત કરવાના છે કૃષ્ણકુમારજી ના પુત્ર પ્રિન્સ જયવીરરાજ વિશે.
મિત્રો તમને જણાવી દઈએ કે જયવીરરાજ સિંહ ભાવનગરના પ્રિન્સ છે અને તે પોતાના બોડી બિલ્ડિંગ ના શોખ માટે ખૂબ જ જાણીતા છે બોડી બિલ્ડિંગમાં તેઓ બોલીવુડના સ્ટાર્સને પણ પાછળ પાડી દે તેવા છે.અને જયવીરરાજ સિંહ ગોહિલ ઘણી વખત બૉલીવુડ સ્ટાર્સ સાથે જોવા મળતાં હોય છે.ભાવનગરના પ્રિન્સ હોવાને કારણે તેઓ હંમેશા લોકોની મદદ કરે છે.
અને તમે તેમની સાથે વાતચીત પણ આરામથી કરી શકો છો તેમને મળીને તમને લાગશે ખરેખર આ વ્યક્તિની નમ્રતા સલામને લાયક છે જયવીર રાજ સિંહ પોતાની ઓળખના કારણે પ્રખ્યાત છે પરંતુ તે સિવાય એક અનોખી ઓળખ છે તે છે બોડી બિલ્ડીંગ.તેઓ પોતાના વિવિધ ક્ષેત્રમાં તેમની કુશળતાના કારણે બૉડી બિલ્ડિંગ, હોસ્પિટાલિટીથી લઈને રાજકારણ સુધી પ્રખ્યાત છે.
મિત્રો જયવીરરાજ સિંહનો જન્મ 27 ઓક્ટોમ્બર 1990 ના રોજ થયો હતો જયવીર રાજસિંહ પાસે હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી છે.આ ઉપરાંત તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં આવેલ લેસ રોસેસ માંથી એન્ટ્રપ્રિન્યરશિપ એન્ડ સ્પોર્ટસ મેનેજમેન્ટ માસ્ટર ડિગ્રી ધરાવે છે.જાણીને આશ્ચર્ય થઈ થશે કે જયવીરરાજ એક ફિટનેસ કન્સલ્ટન્ટ છે જે બોડી બિલ્ડિંગ વિશે પેશનેટ છે તેમજ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે.જણાવી દઈએ કે જયવીરરાજ સિંહ ની એક બહેન પણ છે.
મિત્રો જયવીરરાજસિંહના લગ્ન ગુજરાતના સંતરામપૂરની રાજકુમારી કૃતિરંજની દેવી પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દીકરી અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના નાતી છે.
તેમના લગ્નમાં વસુંધરારાજે, ક્રિકેટર અજય જાડેજા સહિતના મહાનુભાવો હાજર રહયાં હતા તેમજ જયવીરરાજ જીન્સ ઉપરાંત તેમનો પરાંપરાગત રજવાડી પોશાક પણ પહેરે છે.તેમની રસ્ટિક વળાંક વાળી હેન્ડલ બાર મૂછો તેમની ઓળખ છે.અને એ સોશિયલ મીડિયા પર પોતાના ફોટો અપલોડ પણ કરતા હોય છે.
જિમના મોડર્ન સાધનોની સાથે સાથે જયવીર રાજસિંહને પરંપરાગત ટ્રેનિંગ પણ પસંદ છે જયવીરરાજસિંહ કલાકો જીમમાં ગાળે છે અને યુવાનોને ટ્રેનિંગ પણ આપે છે જયવીરરાજ સિંહ બાઈક કાર્સ અને ટ્રાવેલિંગના પણ શોખીન છે ઍડવન્ચર સ્પોર્ટનો પણ શોખ ધરાવે છે.તેમને એડવેન્ચર સ્પોર્ટ્સ ખૂબ જ ગમે છે જયવીર રાજસિંહ ફિટનેસ ફ્રીક હોવાની સાથે સાથે જોખમ લેવું પણ ખૂબ ગમે છે જયવીર રાજસિંહ ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત છે.
મિત્રો તમને જણાવી દઇએ કે પ્રેમ અને આદર સન્માનને કારણે લોકો તેમના ખૂબ જ સ્નેહ વરસાવે છે.ખાસ કરીને જયવીરરાજ સિંહ ગુજરાત માં ખૂબ જાણીતા છે પણ એમને બોલિવૂડ ના સ્ટાર પણ ઓળખે છે.ભાવનગરનાં યુવરાજશ્રી જયવીરરાજસિંહ ગોહિલ ગુજરાત નાં બોડીબિલ્ડીંગ એસોસિયેશનના પ્રમુખ તથા હોટેલ નિલમબાગ ભાવનગરનાં પ્રમુખ તરીકે પોતાની ફરજ બજાવે છે.
મિત્રો જયવીરરાજ સિંહ ઘણા કાર્યકરો માં પણ ઉપસ્થિત રહે છે.અને એમને ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ મળવા આવે છે ભાવનગરમાં મહાન રાજવી કૃષ્ણકુમારસિંહજી પણ થઇ ગયા ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો,જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા,ગ્રામ પંચાયતો ની અને ભાવનગર રાજ્યની ધારાસભા ની રચના વગેરે આગળ ધપાવ્યા છે.
જયવીરરાજ સિંહ હંમેશાં બોલિવૂડની જાણીતી હસ્તીઓ સાથે જોવા મળે છે. બોડી બિલ્ડિંગની સાથે રાજકારણમાં પણ સક્રિય છે આ ઉપરાંત પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ.૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવા માં આવ્યા હતા.છતાં તેઓ હંમેશા ભારતની સ્વતંત્રતા.માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા.
મિત્રો આઝાદી પછીનાં સમય દરમ્યાન રજવાડાં એકત્રીકરણ માટે જ્યારે વલ્લભભાઈ પટેલ પોતે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને મળે છે ત્યારે વલ્લભભાઈ પટેલ અખંડિત અને એક ભારતની વાત જ્યારે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને કરે છે ત્યારે 1800 પાદરનાં ધણી પોતે સૌપ્રથમ પોતાનું રજવાડું વલ્લભભાઈ પટેલને સોંપે છે.
મિત્રો ભાવનગર શહેર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું પાંચમાં નંબરનું મોટુ શહેર છે ભાવનગર ની સ્થાપના 1723 માં ભાવસિંહજી ગોહીલ 1703-1764 દ્વારા કરવામાં આવી હતી ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું.ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર 220 કિ.મિ. છે.ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે.