ભૂલથી પણ ન રાખશો ઘરમાં નટરાજની મૂર્તિ, મનની શાંતિ ડહોળાતા થશે મોટુ નુકસાન

GUJARAT

હિન્દુ ધર્મમાં પૂજા-પાઠનું વિશેષ મહત્વ છે. મોટાભાગના લોકો દેવી-દેવતાઓની મૂર્તિઓની પૂજા કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ભગવાનની ઘણી મૂર્તિઓ અથવા દેવતાઓ છે જેમને ઘરમાં રાખીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરના પૂજા સ્થળે વિવિધ દેવ-દેવીઓની પ્રતિમા રાખવામાં આવે છે.

ઘણીવાર લોકો પૂજા સાથે તેમના દિવસની શરૂઆત કરે છે. ખોટી રીતે મૂર્તિઓની પૂજા કરવાથી ઘરમાં વિખવાદ અને ક્લેશ થાય છે. વાસ્તુ મુજબ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં પૂજા સ્થળ બનાવવું શુભ છે. આ સિવાય તૂટેલી મૂર્તિઓને ઘરમાં રાખવાથી પણ વાસ્તુદોષ સર્જાય છે.

નટરાજ
નટરાજ ભગવાન શિવનું સ્વરૂપ છે. જ્યારે ભગવાન શિવ વધારે ગુસ્સે થાય છે ત્યારે તે નટરાજનું રૂપ ધારણ કરે છે. જો તમે શિવના નટરાજ સ્વરૂપને તમારા ઘરમાં સ્થાપિત કરો છો, તો તમારા પરિવારમાં અશાંતિ ફેલાય છે. નટરાજએ ભોલેનાથનું ઉગ્ર સ્વરૂપ છે આથી આ સ્વરૂપની પૂજાના ખાસ નિયમોનું પાલન કરવુ પડે છે.

ભૈરવ દેવ
ભૈરવ દેવ પણ ભગવાન શિવનું જ એક સ્વરૂપ છે. પરંતુ ભૈરવ દેવને તંત્ર-મંત્રમાં કરાતી પૂજાના દેવ માનવામાં આવે છે. ભૈરવ દેવની પૂજા ઘરની અંદર ન કરવી જોઈએ.

રાહુ-કેતુ
જ્યોતિષમાં રાહુ-કેતુને પાપી ગ્રહ અથવા છાયા ગ્રહ કહેવામાં આવે છે. કુંડળીમાં રાહુ-કેતુ સંબંધિત ખામીઓને શાંત કરવા માટે અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તેમની મૂર્તિ અથવા સ્થાપના કરીને રાખવાની મનાઈ છે.

શનિ મહારાજ
શનિ મહારાજ સૂર્યનો પુત્ર છે. તેમની ઉપાસનામાં ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. સૂર્યાસ્ત પછી તેમની પૂજા કરવામાં આવે છે. શનિ મહારાજની પૂજા હંમેશાં ઘરની બહાર હોય છે, તેથી તમારા ઘરમાં શનિદેવની મૂર્તિઓ સ્થાપિત કરવાની ભૂલ કરશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *