મને હસ્તમૈથુનમાં હવે પેહલા જેવી મજા નથી આવતી,અને મને લાગે છે કે મારા….

GUJARAT

પ્રશ્ન : હું 50 વર્ષની મહિલા છું અને મારી દીકરી 26 વર્ષની છે. મારી દીકરી આમ તો બહુ સમજદાર છે પણ છેલ્લા કેટલાક સમયથી તેનું વર્તન બદલાઇ રહ્યું છે. તે બહુ વિચિત્ર વર્તન કરે છે. તે વિક-એન્ડમાં ઘરે રહેતી જ નથી અને દર શનિવારે તેમજ રવિવારે પોતાની બહેનપણીનાં ઘરે રહેવા માટે જતી રહે છે. મને તેની બહુ ચિંતા થાય છે. અમે તેને લગ્ન કરવા માટે સમજાવીએ છીએ ત્યારે તે સ્પષ્ટ શબ્દોમાં લગ્ન કરવાની ના પાડી દે છે. તે સજાતીય સંબંધોનાં ચક્કરમાં તો નહીં ફસાઇ હોય ને? મારી આ સમસ્યાનો ઉકેલ શું છે? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : તમારી ચિંતા સમજી શકાય એવી છે પણ સાથે સાથે તમારે તમારી દીકરીના દૃષ્ટિકોણને પણ સમજવો પડશે. જો તમારી દીકરી ઘરથી દૂર રહેવાનું પસંદ કરતી હોય તો એ માટેનું કારણ સમજવાનો પ્રયાસ કરો. તમે જ સ્વીકારો છો કે તમારી દીકરી સમજદાર છે પણ આમ છતાં છેલ્લા કેટલાક સમયથી તેનું વર્તન બદલાઇ રહ્યું છે તો આવું શું કામ થઇ રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરો. એક વાત સારી રીતે સમજી લો કે દરેક માનસિક સમસ્યાનો ઉકેલ લગ્ન નથી. જો વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ નહીં હોય તો ઉતાવળમાં તેનાં લગ્ન કરી દેવાથી સમસ્યા ઓછી થવાના બદલે વધી જશે.

તમારી દીકરી જો લગ્ન કરવાની ના પાડતી હોય તો એ પાછળનું કારણ જાણવા પ્રયાસ કરો. દીકરી પર લગ્નનું દબાણ કરવાને બદલે લગ્ન ન કરવાની તેની ઇચ્છા પાછળના કારણને સમજો અને તેને માનસિક રીતે તૈયાર કરો. જો તમારી દીકરી વિક-એન્ડ પોતાના પરિવાર સાથે ગાળવાના બદલે બહેનપણી સાથે ગાળવાનું પસંદ કરતી હોય તો એનો મતલબ એ નથી કે તે તેની બહેનપણી સાથે સજાતીય સંબંધ ધરાવે છે.

પહેલાં ઘરનું વાતાવરણ તપાસો અને દીકરી શું કામ ઘરે રહેવાનું પસંદ નથી કરતી એ જાણવાનો પ્રયાસ કરો. બની શકે તો તેની બહેનપણી સાથે નિકટતા કેળવીને તેનાં વર્તનનું કારણ જાણવા માટે પ્રયાસ કરો. ઘણીવાર યંગસ્ટર્સ પોતાના દિલની વાત માતા-પિતાને કહેવાને બદલે મિત્રોને કહેવાનું પસંદ કરતાં હોય છે. જ્યાં સુધી સજાતીય સંબંધનો સવાલ છે ત્યાં સુધી આ મામલે હકારાત્મક અભિગમ દાખવો.

જો કદાચ એવું હોય તો ડરવાને બદલે એની લાગણી સમજવાનો અને તેને આ સંબંધની દૂરગામી અસરો સમજાવાનો પ્રયાસ કરો. જો ખરેખર એવું હોય તો અને તમારી દીકરી સજાતીય સંબંધથી છૂટકારો મેળવવા ઇચ્છતી હોય તો તેને તમામ જરૂરી માનસિક અને તબીબી સધિયારો આપો.

પ્રશ્ન : મારી ઉંમર ૨3 વર્ષ છે. હું છેલ્લાં કેટલાક વર્ષથી રેગ્યુલરલી હસ્તમૈથુન કરું છું. મારા સ્પર્મ કાઉન્ટમાં મેં નોંધપાત્ર ઘટાડો નોટિસ કર્યો છે. વળી, હવે મને હસ્તમૈથુન કરવામાં મજા પણ આવતી નથી.

જવાબ : હસ્તમૈથુન થી વ્યક્તિનું સ્પર્મ કાઉન્ટ ઘટી જતું નથી. જો હસ્તમૈથુન માં રસ ઘટયો હોય તો તમારે જનરલ બોડી ચેક-અપ કરાવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *