હું ૨૬ વરસની છું. મારે એક યુવક સાથે પ્રેમ હતો. લગ્નનું વચન આપી તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.પણ એને મને છોડી દીધી તો હું એને..

GUJARAT

હું ૨૧ વર્ષની અપરિણીત યુવતી છું. મારે એક પુરુષ મિત્ર છે જે મારાથી દોઢ વરસ નાનો છે. અમારી વચ્ચે છેલ્લા પાંચ વરસથી પ્લેટોનિક લવ છે. અને એકબીજાને અમારા દિલની વાતો કરીએ છીએ. અચાનક જ હવે તેને મારી સાથે શારીરિક સંબંધ રાખવો છે. તે ચુંબનની માગણી કરે છે તેમજ તેને મારી સાથે શારીરિક છૂટછાટ પણ લેવી છે. પરંતુ મને તેની માગણી પસંદ નથી. હમણા મેં તેને મળવાનું છોડી દીધું છે. પરંતુ હું તેને અતિશય પ્રેમ કરું છું. મારે શું કરવું એ જણાવવા વિનંતી.

એક યુવતી : (મુંબઈ)

આ છોકરા સાથે મૈત્રી ચાલુ રાખવાનો નિર્ણય લેતા પૂર્વે તમારે એ નક્કી કરવાનું છે કે શું તમે તેની સાથે શારીરિક નિકટતા જાળવવા તૈયાર છો? કારણ કે હવે આ પ્રશ્ન તમારી વચ્ચે આવવાનો જ છે. તમારી મૈત્રી શરૂ થઈ ત્યારે તમારી ઉંમર ઘણી નાની હતી. તે સમયે તમે બન્ને ઘણા નાદાન હતા. તમારો મિત્ર હજુ નાદાન છે. તે હજુ ૧૯ વરસનો જ છે આથી તેને ભણી-ગણીને કમાતા પણ હજુ ઘણા વરસ લાગશે.

તો શું તમે આટલી લાંબી રાહ જોઈ શકો છો? આગળ જતાં તમારા બન્નેમાંથી કોઈનો વિચાર બદલાશે નહીં એની તમને ખાતરી છે. આ ઉપરાંત ગંભીર સંબંધ બાંધવા માટે પણ તમારો મિત્ર નાદાન છે. આ ઉપરાંત લગ્ન પૂર્વેનો શારીરિક સંબંધ તમારે માટે જોખમ નોતરી શકે છે. તમે બન્ને ગંભીર હો તો થોડા વરસ સુધી રાહ જુઓ અને જીવનમાં સ્થાયી થયા પછી જ લગ્નનો વિચાર કરો ત્યાં સુધી શારીરિક સંબંધથી દૂર રહો.

હું ૨૬ વરસની છું. મારે એક યુવક સાથે પ્રેમ હતો. લગ્નનું વચન આપી તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. હવે તેણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે. આ કારણે હું ઘણી હતાશ થઈ છું. જીવન મને ઝેર જેવું લાગે છે. શું એ છોકરાને મારી સાથે લગ્ન કરવા માટે હું મજબૂર કરી શકું છું? મારું જીવન બરબાદ કરવા માટે તેને સજા થઈ શકે છે?

એક યુવતી : (મુંબઈ)

આ છોકરાની વાત માની તમે મૂર્ખાઈ કરી છે. છોકરીઓનો ગેરલાભ લેવા માટે ઘણી વાર છોકરાઓ લગ્નની લાલચ આપી પોતાનો હેતુ સાધી લીધા પછી છેડો ફાડી નાખે છે. આવા છોકરાઓને સજા કરવાનું કામ સહેલું નથી. આપણો સમાજ હજુ સુધી પુરુષ પ્રધાન છે જે પુરુષની બધી જ ભૂલો માફ કરી શકે છે, પરંતુ સ્ત્રીઓને માફ કરવા તૈયાર નથી.

આથી તમારે એ યુવક સાથેના પ્રકરણને ભૂલીને તમારા જીવનમાં આગળ વધી જવું જોઈએ. અને આમ પણ જબરદસ્તીથી તેની સાથે લગ્ન કરવાથી તમને સુખ મળશે નહીં. આથી બદલો લેવાનું તેમજ તેને લગ્ન કરવા મજબૂર કરવાનો વિચાર મનમાંથી કાઢી બીજી કોઈ પ્રવૃત્તિમાં તમારું ધ્યાન પરોવો અને કોઈ સારો જીવનસાથી શોધી લગ્ન કરીને તમારું ગૃહસ્થી જીવન શરૂ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *