હમણાં મે એક યંગ છોકરા જોડ નિરોધ વગર સમાગમ માણ્યું,તો શું મને..જાણો એક મહિલાની સમસ્યા

nation

મારી ઉંમર ૧૭ વર્ષ છે. હું જે યુવકને ચાહું છું, એ સરકારી નોકરી કરે છે. અમે બંને પરસ્પર લગ્ન કરવા ઈચ્છતાં હતાં, પરંતુ મારી ઉંમર નાની હોવાને લીધે બે-ત્રણ વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. અમે પૈસાદાર હોવાથી મારા પિતાએ તે ઘર સાથે સંબંધ બાંધવાની ના પાડી, જેથી મેં આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. આ સમય દરમિયાન તેના પિતા બીમાર થઈ ગયા. તેમને લગ્ન કરવાની ઉતાવળ હોવાથી એનાં લગ્ન બીજી જગ્યાએ થઈ ગયાં. જો કે મેં એની સાથે બોલવાનું કે મળવાનું બંધ કરી દીધું છે, પણ હું એના વગર રહી શકતી નથી. હું શું કરું?
એક કન્યા (આણંદ)

ભૂતકાળને યાદ કરીને રડયા કરવાથી જીવનમાં આગળ કેવી રીતે આવી શકાશે? વર્તમાનની સચ્ચાઈને સ્વીકારો અને તે યુવકને ભૂલી જાઓ, એમાં જ તમારા બંનેનું હિત છે. તમે એક વાત ન ભૂલશો કે એ હવે પરિણીત છે. તમારા લીધે એના દાંપત્યજીવનમાં તિરાડ ન પડવી જોઈએ. બીજું, હજી તમારી ઉંમર નાની છે. તમે સૌપ્રથમ તમારો અભ્યાસ પૂરો કરો. યોગ્ય સમયે તમારા પિતા સુયોગ્ય પાત્ર મળતાં તમારાં લગ્ન કરી દેશે, એમાં જ બધાની ભલાઈ છે.

હું ૩૭ વર્ષની પરિણીત મહિલા છું. કોલેજમાં હતી ત્યારે એક છોકરા સાથે મેં સાત-આઠ વાર સંભોગ કર્યો હતો. એ સમયે તેણે નિરોધ પહેર્યું હતું. એ પછી એક પરણેલા પુરુષ સાથે મે કોન્ડોમના ઉપયોગ વિના આઠ-નવ વાર સંબંધ બાંધ્યો હતો. જોકે તે વીર્યસ્ખલન વખતે યોનિમાંથી ઈન્દ્રિય બહાર કાઢી લેતો હતો. લગ્ન પછી પતિ સિવાય કોઈની સાથે મેં સેક્સ નથી માણ્યું. એક મહિના પહેલા ૩૦ વર્ષના છોકરા સાથે મિત્રતા થઈ છે.

શરૂઆતમાં અમે માત્ર ફોન પર જ વાતચીત કરતાં, પણ આઠ દિવસ પહેલાં એક હોટેલમાં મળ્યાં ત્યારે નિરોધ પહેરીને સંભોગ કર્યો હતો. જોકે મને મનમાં એવો ભાવ જાગ્યો કે હું મારા પતિ સાથે વિશ્વાસઘાત કરી રહી છું. એટલે તરત જ તેનાથી છૂટી પડી ગઈ હતી અને તેને ડિસ્ચાર્જ પણ યોનિમાં નહોતો કરવા દીધો. હવે મને ડર લાગે છે કે એઈડ્સ તો નહીં થાય ને? કોઈ ઓળખી જાય તો શું થાય એ ડરને કારણે હું એનું પરીક્ષણ પણ નથી કરાવવા માગતી. મને યોેગ્ય સલાહ આપશો.
એક સ્ત્રી (સૂરત)

જો તમે નિરોધ પહેરીને સંભોગ કર્યો હોય તો એઈડ્સ થવાની શક્યતા નથી. તમારે એઈડ્સનું ચેકિંગ કરવાની પણ કોેઈ જરૂર નથી. એક વાત ધ્યાનમાં રાખશો કે ભૂલેચૂકે કોઈ વાર નિરોધ પહેર્યાં વિના સંભોગ થયો પણ હોય તો કેઈએમ જેવી જનરલ હોસ્પિટલમાં નામ આપ્યા વિના માત્ર દસ રૂપિયામાં તમે એઈડ્સનું પરીક્ષણ કરાવી શકો છો. એક વસ્તુ જે થઈ ગઈ છે એને તમે હવે બદલી શકવાના નથી. એટલે એના પર અફસોસ કરવો નકામો છે.

ભવિષ્યમાં તમે જે પણ પગલું ભરો એ સમજી વિચારીને ભરજો જેનાથી તમને પાછળથી પસ્તાવો ન થાય. હમણાં મગજમાં એક જ વસ્તુ સમજીને ચાલવું કે જે કંઈ થયું એ પ્રભુની ઈચ્છા પર નિર્ધારિત હતું. એમ માનીને મન મનાવી લેવાનું કે આવું થવાનું હતું એટલે થયું. આપણે એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ લેવો હોય તો માલિકની મહેરબાનીની જરૂર પડે છે એમ સમજીને આગળ વધશો તો મનમાં થતી હીન ભાવનાની લાગણી ઓછી થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *